મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

7 જાન્યુ, 2011

કહે કેમ??

ક્યાં નિષ્ફળ કે સફળ હોય છે? પ્રેમ તો કેવળ પ્રેમ હોય છે.
એકવાર જો  ફૂટી કૂંપણ .પળપળ  ઉર્ધ્વતા  નેમ હોય છે.

ના તો છે મૂલાકત જરુરી,ના છે મુખરિત વાત જરુરી,
મનથી મનના રૂણઝૂણ સ્વરતા સંવાદ રોમેરોમ હોય છે.

ના સહે વિક્ષેપ સમયનો, ના ઉંમરનો આડબંધ,
ભિન્ન તે અનુરાગીઓ છે..એ જ સહુનો વ્હેમ હોય છે.

શ્વાસે શ્વાસે સ્વસે પ્રણયને, ઉચ્છવાસે ય ના આક્રંદે..
એકમેકમાં મત્ત અનુભૂતી, ઇપ્સિત ના આશ્લેષ હોય છે.

કરુણા એ ઉન્મત્ત યુગલની, દિન-નિશા એ તારા ગણે..
અભાસી મૈત્રકને વાંછી, તરફળતા કહે કેમ હોય છે???


ઉષ્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો