મન તો કહે છે.."ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"
પણ આ નજર સામે અસ્ખલિત વહેતા સમય પ્રવાહનુ શું કરવું?
હંમેશ નિસર્ગગ્રસ્ત રહેતું મન પાછું પડે છે..આ સમયયંત્ર સમક્ષ..
કાર્યરત રહેતું તન અને કુદરતરત રહેતું મન!!!
કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..
ઉષ્મા