મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

20 ઑક્ટો, 2010

શું માનવતા હવે મરી પરવારે?

વાત બહુ નાની છે પણ તેની અસર આજપર્યંત મારા માનસપટ પર અંકિત છે.
મારી સાથે બનેલી એક ઘટના આપ સૌ સાથે શેર કરવા માંગુ છું.

થોડા વર્ષો પહેલા પરિવાર સાથે મારા શહેરની પાસે આવેલા એક પ્રચલિત તિર્થધામે
જવાનું થયું.અમે સૌ દર્શનાર્થે જવા મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા પણ ન હતા અને
એક આઠ-દશ વર્ષનું બાળક જમીન પર પોતાના હાથો વળે ઢસરળાતું મારી નજીક
આવ્યું.પોતાની વિકલાંગતાથી લાચાર દ્રષ્ટિએ મારા તરફ જોઇ મદદની ભીખ માંગવા લાગ્યુ.
તેની આ લાચારી અને કૂમળી ઉંમર જોઈ મને તેનાં તરફ અનુંકંપા જાગી અને
મેં તેને દશની નોટ આપી,આગળ નીકળી ગયેલા મારા પરિવાર સાથે ઝળપથી જોડાઇ ગયી.

વાત અહિથી જ શરુ થાય છે.દર્શન કરી..મંદિરના રમણિય વાતાવરણમાં થોડું ફરી
અમે ભોજનાલય તરફ જવા મંદિરનાં વિશાળ પ્રાંગણમાં આવ્યા.આહિયાં કેટલાક
બાળકો રમતા હતા.થોડા રમકડાવાળા,નાશ્તાની લારિઓવાળા અને બીજી પણ
નાનીનાની ચીજો વહેંચતા કેટલાક ફેરિયા પણ અહિં ઊભા હતા.ત્યાં જ મારી
નજર એક બાળક તરફ ગઇ જે દોડતાં-દોડતા એક ફુગ્ગાવાળા પાસે જઇ રહ્યો હતો. 
    
"એ પેલો જ બાળક હતો મેં જેને અપંગ સમજી થોડી મદદ કરવાની કોષિશ કરી હતી."
આ દ્ર્શ્ય જોઈ મન થોડું ખાટું થઇ ગયું.આ ઘટના બાદ જ્યારે પણ કોઇ ભીખ માંગતી
કે યેનકેન પ્રકારે મદદ માંગતી વ્યક્તિ જોઉ છું તો યથાશક્તિ મદદ કરવાની લાગણી સાથે સાથે અણગમો પણ પેદા થાય છે.કઇ આપતાં પહેલા મન થોડું ખચકાય છે.

"સૂકા ભેગું લીલું બળે" તેવી જ રિતે ખરેખર જેને જરુર છે તેને પણ શંકાની નજરે
જોવાઇ જાય છે.નક્કિ નથી કરી શકાતુ કોણ સાચું અને કોણ ખોટું છે.લાગે છે
આજ ના સમયમાં લાગણી કે અનુકંપાની જરુર જ નથી.અંદરની માનવતાને
મારી એક્દમ તટસ્થભાવે સ્વકેન્દ્રિય રહેતા લોકો જ આજનાં યુગની માંગ છે.

ઉષ્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો